અખિલ ભારતીય વિદ્યાર્થી અધિવેશન

0
92

‘સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો’ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું
એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ તા. ર૩, ર૪ અને રપ ફેબ્રુઆરી-૧૮ દરમ્યાન આ ત્રિ-દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશનનો પ્રારંભ એસઆઈઓના ધવજારોહણથી થયું. ‘સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો’ના સૂત્રોચ્ચારથી દિલ્હી ગૂંજી ઉઠયું. યમૂના તટ સ્થિત એસઆઈઓ ઓફ ઇન્ડિયાના મુખ્યાલય પર આ વખતે ૮૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

કુઆર્ન પઠન અને સંગઠન ગીત પછી મહાઅધિવશેનના પ્રારંભિક પ્રવચનમાં બોલતાં એસઆઈઓના મહાસચિવ ખલીક અહમદે અલ્લાહનો આભાર વ્યકત કરી પોતાની વાતની શરૃઆત કરી જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાઓ જ દેશ અથવા સમાજના નવનિર્માણમાં પોતાની ભૂમિકા ભજવી શકે છે. વધુમાં જણાવ્યું કે, આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોનું સાચું માર્ગદર્શન કરવુું તેમજ તેમની આકાંક્ષાઓને સર્જનાત્મક દિશા પૂરી પાડવાનો તથા વિદ્યાર્થીઓ અને યુવાનોને તત્કાલીન મુદ્દાઓ અને સામાજિક પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરવાની સાથે તેના પ્રત્યે તેમની જવાબદારી માટે જાગૃત કરવાનો છે. માનવજાતિ માટે જે માનવ-ગૌરવ અને સન્માન ઇશ્વરે નિર્ધારિત કરેલ છે તેને કોઈપણ તાકાત તેનાથી છીનવી શકતી નથી. આપણે અલ્લાહે આપેલ આ માનવ-ગૌરવના સંદેશને પ્રસારિત કરી શકીએ તેવો આત્મવિશ્વાસ કેળવવાની જરૃર છે. અલ્લાહ તરફથી આપણને પ્રાપ્ય સિદ્ધાંતો અને મૂલ્યોની વિશ્વને આવશ્યકતા છે. વિશ્વને માનવજાતિના જીવન નિર્વાહ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન બનાવવા સારૃ વિદ્યાર્થી અને યુવાનોએ તેમની નિર્ણાયક ભૂમિકા ભજવવી અનિવાર્ય છે.

આના પછી અમીર, જમાઅતે ઇસ્લામી હિંદ, મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરી સાહેબે જણાવ્યું કે ઘણી ખુશીની વાત છે આવી રીતે નવયુવાનો જે ભેગા થયા છે તે ઇસ્લામી બુનિયાદના નામ પર ભેગા થયા છે, તેમજ આ સંગઠન ભારતનું સૌથી મોટુું વિદ્યાર્થી સંગઠન છે. આજના માહોલમાં સૌથી દુઃખની વાત આ છે કે યુવાનોમાં ડ્રગ્સ અને બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. ચોંકાવનારી વાત તો આ છે કે બધી સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલતા નહિવત છે. આવા માહોલમાં એસઆઈઓ પોતાની જવાબદારી સમજી ઇસ્લામી બુનિયાદોને ધ્યાનમાં રાખીને સમાજ અને શૈક્ષણિક સંકુલોમાં રહેલ કુરિવાજોને દૂર કરવાની એક સારી મહેનત કરી રહી છે.

જમાઅતે ઈસ્લામી હિંદના નાયબ અમીર જનાબ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનોને મુશ્કેલ પરિસ્થિતિમાં સંઘર્ષ માટે માર્ગદર્શન આપ્યું અને જણાવ્યું કે પરિસ્થિતિઓ કઈ રીતે સમાજ સુધારણા માટેની તકો પૂરી પાડે છે. વધુમાં જણાવ્યું કે એસઆઈઓ કોઈ પ્રતિક્રિયાશીલ સંગઠન નથી અને તેનું દરેક કાર્ય ધ્યેય આધારિત હોય છે સન્માનને પુનઃ સ્થાપિત કરવા માગે છે બલ્કે આ પ્રયત્નો સમાજની દરેક વ્યક્તિના સન્માનને પુનઃ સ્થાપિત કરવાનો છે. તેમણે કહ્યું કે જે આપણને ભવિષ્યનું નિર્માણ કરવું હોય તો અત્યારથી જ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વ્યવસ્થિત રીતે કામ કરવાની જરૃર છે. દરેક વિદ્યાર્થીએ આ નિર્ધાર કરવો જોઈએ કે દરેક વિદ્યાર્થી પોતાના વિદ્યાર્થીકાળમાં ફકત બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને ઇસ્લામની સાચી છબી પ્રસ્તુત કરે અને ઇસ્લામ વિરુદ્ધ થતો પ્રોપેગન્ડાને ખતમ કરવામાં જો આ કાર્ય કરશે તો અવશય પરિસ્થિતિ બદલાશે.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબૂ અલહિજાએ એસઆઈઓને અભિનંદન પાઠવ્યા. વધુમાં જણાવ્યું કે આજે પણ પેલેસ્ટાઈનના મુસ્લિમો મુશ્કેલીમાં જીવન વ્યતીત કરી રહ્યા છે તેનું કારણ અમેરિકા જ છે જે ઇઝરાયલનું સમર્થન કરે છે અને દુનિયામાં કાયદાઓ વિરુદ્ધ કાર્ય કરે છે અને ઇઝરાયલની આર્થિક મદદ પણ કરે છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ અમારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠેલ છે. અમે લડત ચાલુ રાખીશું અને કોઈપણ કિંમતે અંબિયાની ધરતી પેલેસ્ટાઈનને છોડીશું નહીં.

જીૈંર્ંના ત્રિ-દિવસીય અધિવેશનના પ્રથમ દિવસના આ સેશનના અંતે અધ્યક્ષીય પ્રવચન આપતા એસઆઈઓના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ એસઆઈઓના ૩પ વર્ષની કમગીરી ઉપર ટૂંકમાં પ્રકાશ પાડયું. વધુમાં જણાવ્યું કે, એસઆઈઓ પ્રથમ દિવસથી હિંમત અને નિર્ધાર સાથે કાર્ય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે કપરા સંજોગો, કોઈપણ સમુદાયને નવી પાંખો લગાવી ઉંચાઈઓ તરફ લઈ જઈ શકે છે. જ્યારે તેમના પડખાઓ કાપીને તેમને અસીમ ગર્તાઓમાં ધકેલી પણ શકે છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આ છે કે વિષય પરિસ્થિતિઓ આપણા માટે નવજીવન અને પુનરૃત્થાનનું માધ્યમ બને. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ અને દુનિયાના વિવિધ વિદ્યાર્થી-યુવાઓના સંગઠનના પ્રતિનિધિઓ, વિભિન્ન વિચારધારાના વિદ્વાન પ્રતિનિધિઓ, વરિષ્ઠ પત્રકારો, કાર્યકર્તાઓ, રાજનેતાઓ અને સાંસ્કૃતિક લોકોએ સંમેલનમાં સંબોધન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here