આવા કૌંભાંડો કયારે અટકશે ?

0
108

પંજાબ નેશનલ બેકં (પીએનબી)નું કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં સમગર બેન્કિંગ વ્યવસ્થા ઉપર જ પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે. આ અંગે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે કે કૌભાંડ કેટલાક રોડ કે અબજ રૃપિયાનું છે ? આના માટે કોણ અને કેટલો જવાબદાર છે ? શા માટે આટલી મહત્ત્વની અને ગંભીર બાબતો અંગે જે તે સંબંધિત અધિકારી અને સરકારે (આ અંગે તેનું ધ્યાન દોરવા છતાં) સમયર અને પૂરતું ધ્યાન કેમ ન આપ્યું ? નાની-નાની લોનોની વસૂલીમા મોટી કાર્યવાહી કરનારી બેંકોએ અને એ પછી સરકારોએ કરોડોની મસમોટી લોનો લેનારા કૌભાંડીઓને વિદેશ ભાગી જતા અટકાવ્યા કેમ નહીં ? વિ. વિ. પ્રશ્નો લોક-માનસમાં ઉદ્ભવે છે. આ બધી રમત LOC (લેટર ઓફ ક્રેડિટ) કે અન્ડર ટેકિંગની છે. પીએનબી કૌભાંડમાં પણ આ જ બન્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ આટલી મોટી રકમ જારી કરવા માટે બેંકે પોતાની સિસ્ટમ અનુસાર જ કામ નથી કર્યું એવું કહેવાઈ રહ્યું છે. એકાદ-બે અધિકારીઓની સહી કે મંજૂરીથી જ આટલી મોટી રકમ લોનરૃપે આપી દેવાઈ. જ્યારે કે આટલી મોટી રકમ વધુ અધિકારીઓની ચકાસણી તથા મંજૂરી બાદ જ આપવાની સિસ્ટમ હોય છે. આમાં સક્ષમ અધીકરાીઓની મંજૂરી વિના આ રકમ અપાઈ હોવાનું બહાર આવવાથી નાના અધિકારીઓના જ નામ સામે આવ્યા છે. સક્ષમ અધિકારીની સહી અને મંજૂરી વિના આટલી મોટી રકમો કેવી રીતે લોનમાં આપી દેવાઈ ?
આ દરમ્યાન આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્નના ઉત્તરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ જે જણાવ્યું છે તે ખૂબજ ચોંકાવનારૃં છે. એક સમાચાર સંસ્થાના હવાલાથી એક ન્યૂઝ ચેનલે પોતાની વેબસાઈ ઉપર જણાવ્યું છે કે છેલ્લા સાડા પાંચ વર્ષોમાં બેંકોની ૩ લાખ, ૬૭ હજાર, ૭૬પ કરોડ રૃપિયાની રકમ પરસ્પર સમજૂતી હેઠળ રાઇટ ઓફ કરી દેવામાં આવી છે ત્યારે હાલમાં આનાથી પણ વધુ રકમોને ડૂબતી બચાવવા ઘણા મોટા અને વધુ પ્રયત્નો કરવા પડશે. કયાંક એવું ન થાય કે બેંકોને ડૂબતી બચાવવા નાના ખાતેદારોના પરસેવાની અને ગરીબોની બચતમાંથી લૂંટ ચલાવાય અને અબજોની લૂંટ કરી નાસી જનારાઓ પાસેથી થોડી ઘણી રકમ વસૂલ અને કરી મોટાભાગની લોન માંડ-વાળ કે રાઇટ ઓફ કરી દેવામાં આવે અને ત્યારબાદ ફરીથી નવા કૌભાંડો માટે માર્ગ મોકળો કરી દેવામાં આવે.
આરબીઆઈના જણાવ્યા મુજબ ઈ.સ.ર૦૧ર-ર૦૧૩થી સપ્ટેમ્બર ર૦૧૭ સુધી પબ્લીક તથા પ્રાઈવેટ સેકટરના બેંકોએ પરસ્પર સમજૂતી (ઇનકલૂડિંગ કમ્પ્રમાઈઝ) દ્વારા કુલ ૩,૬૭,૭૬પ કરોડની રકમ રાઇટ ઓફ કરાઈ છે. આમાંથી ર૭ પબ્લિક સેકટરની બેંકો છે, જ્યારે રર પ્રાઈવેટ સેકટરની બેંકો છે, જેમણે આ રકમ રાઇટ ઓફ કરી છે.
સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌડને આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ ઉત્તરમાં જણાવાયું છે કે બેંકો દ્વારા રાઇટ ઓફ કરવામાં આવતી રકમમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કડક કાયદાઓ તથા નીતિ-નિયમો હોવા છતાં આવા કૌભાંડો વર્ષોથી થતાં રહે છે. તેમને યોગ્ય તથા સમયસર સજા કરવામાં આવતી નથી. સાથે જ આ પણ બહુ મોટી ખામી છે કે કૌભાંડીઓને પૂરતી સજા નથી અપાતી અને વસૂલી પણ નથી કરાતી એટલું જ નહીં, બલ્કે આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર અધિકારીઓકે રાજકીય સમર્થકો સામે પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. આમાં નાની માછલીઓ સપડાઈ જાય છે અને મોટા મગરમચ્છ છટકી જાય છે. ચૂંટણીફંડમાં મોટો ફાળો આપવા બદલ આ અંગે નરમ વલણ દાખવવામાં આવતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
આથી જરૃરત છે કે આવા કૌભાંડોને અટકાવવ લાગતા-વળગતા તમામ બારી-દરવાજા બંધ કરી દેવામાં આવે અને આના માટે જરૃરી સિસ્ટમ સુધારવા અને તેને ઈમાનદારીથી અમલી બનાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here