મસ્જિદની બીજી જગ્યાએ તબ્દીલી અને હમ્બલી ફિકહ

0
143

શિક્ષણ અને સાક્ષરતાના આંકડાઓ કોઈપણ કોમ કેે સમાજને માપવાના મહત્ત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે. વિકસિત દેશોમાં હવે આનાથી આગળ વધીને બીજી વિષય સૂચિઓનો પ્રારંભ થઈ ગયો છે, જેને ‘આજીવન શીખવાની ક્ષમતાનો ઇન્ડેક્ષ – ૈંહઙ્ઘીટ ર્ક ન્ૈકીર્ઙ્મહખ્ત ઙ્મીટ્વહિૈહખ્ત ‘ કહેવામાં આવે છે. આ ઇન્ડેક્ષની પ્રેરણા આ છે કે જ્ઞાાનના વિસ્ફોટો અને શૈક્ષણિક વિકાસની ગતિમાં આશ્ચર્યજનક વૃદ્ધિના કારણે હવે ઉચ્ચ શિક્ષણ પણ અપૂરતો છે. જરૃરત આજીવન શીખતા રહેવાની છે અને જે લોકો રોજેરોજ નવી નવી વાતો અને નવા નવા કૌશલ્ય શીખવાની ક્ષમતા નથી ધરાવતા, ભલે તેઓએ પહેલાંના સમયમાં ઘણું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય અને ભણ્યું હોય, તેઓ આધુનિક સમયના નિરક્ષર લોકોમાં ગણાશે… અલવેન ટાફલરનું આ નિવેદન ખૂબ પ્રસિદ્ધ થયું હતું “્રી ૈઙ્મઙ્મૈંીટ્વિંી ર્ક ંરી ૨૧જં ષ્ઠીહંેિઅ ુૈઙ્મઙ્મ ર્હં હ્વી ંર્રજી ુર્ર ષ્ઠટ્વહર્હં િીટ્વઙ્ઘ ટ્વહઙ્ઘ ુિૈંી, હ્વેં ંર્રજી ુર્ર ષ્ઠટ્વહર્હં ઙ્મીટ્વહિ, ેહઙ્મીટ્વહિ, ટ્વહઙ્ઘ િીઙ્મીટ્વહિ”
“૨૧મી સદીમાં અભણ એ લોકો નહીં હોય જે વાંચી અને લખી શકે નહીં, આ તે લોકો હશે જેઓ ‘લર્ન’, ‘અનલર્ન’ અને ‘રીલર્ન’ની પ્રતિભાથી વંચિત હશે.”
લોગ લર્િંનગ ઇંડેક્સના આંકડાઓ દર્શાવે છે કે આ સંબંધમાં ડેનમાર્ક અને સ્વીડન વિશ્વના સૌથી વિકસિત દેશ છે. આ જ કારણ છે કે અહીં લોકો નવા નવા જ્ઞાાન અને કળા શીખે છે.
આ સંદર્ભમાં આપણને પોતાને મૂલ્યાંકન કરવાની જરૃર છે. મારા અનુમાન મુજબ આપણા ભારતીય મુસ્લિમોનો શિક્ષિત વર્ગ પણ આ પાસાથી ઘણો પાછળ છે. જેમ જેમ આપણે પ્રગતિની સીડી ઉપર આગળ વધીએ છીએ, આપણે શીખવાની આવશ્યકતાને અવગણવાનું શરૃ કરી દઈએ છીએ. શીખનારાઓ અને શિક્ષકો, આપણી વચ્ચે બે અલગ-અલગ વિભાગ છે. જે લોકો શિક્ષણ અથવા પ્રશિક્ષણ આપી રહ્યા છે તેમના માટે ‘શીખવું’ તેમના ગૌરવ અને મહિમા ઉપરાંત એક અન્ય વસ્તુ છે. આપણા વિદ્વાન, આપણા નેતા, આપણા બુદ્ધિજીવીઓ, આ બધું સમજે છે કે નવી વસ્તુ શીખવા અને વાંચવાનો સમય અને તક હવે ગુજરી ગયા… ઇલ્લા માશા અલ્લાહ… હવે નવી વસ્તુ શીખવું તેમના માટે અસંભવ છે અને ન જ કોઈ જરૃરત છે.
તેથી, એવા સમયે કે જ્યારે વિશ્વના દરેક ક્ષેત્રે વિશ્વવિખ્યાત અને અગ્રણી લોકો પણ વિવિધ પ્રશિક્ષણ પાઠયક્રમોમાંથી પસાર થાય છે, અહીં આપણા વડીલોના પ્રશિક્ષણનો વિચાર કરવો પણ ગુનાથી ઓછા નથી. આ જ ફેસબુક ઉપર ૩૦ વર્ષથી ઓછી વય અને પચાસ વર્ષથી વધારે વયના સક્રિય લાભાર્થીઓનો રેશિયો કાઢવામાં આવે અને તેની સરખામણી આ જ ગ્રુપના મુસ્લિમોના રેશિયોથી કરવામાં આવે તો નવું શીખવાનો આપણી ક્ષમતાનો અંદાજ લગાવી શકાય. જ્યાં અન્ય ક્ષેત્રોમાં સિત્તેરથી એંસી વર્ષની વયના સક્રિય સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓ (આ વિગતની સાથે વોટ્સએપ સોશિયલ્ મીડિયા નથી..) ટ્વીટર અને ફેસબુક ઉપર સક્રિય જોવામાં આવશે, આપણી વચ્ચે ખાસ કરીને દીનદાર લોકોમાં તેમની સંખ્યા નહીવત્ છે. આ તો ફકત એક ઉદાહરણ છે આ પરિસ્થિતિ દરેક નવા કૌશલ્ય અને કળાના મામલામાં જોઈ શકાય છે.
આજના આ વિકસિત સમયમાં આ કોઈ નાનો મુદ્દો નથી. નિરક્ષરતા અને અજ્ઞાાનતાની જેમ નવી વસ્તુ ન શીખવું પણ આજના યુગમાં એક પંગુતા છે. આ પરિસ્થિતિ સમગ્ર કોમમાં સામાન્ય બની જાય તો કોમી પંગુતા બની જાય છે. આ જ વાસ્તવિકતા છે કે આપણી કોમી પંગુતા/ અસમર્થતા આજની આપણી ઘણી સમસ્યાઓનું મૂળ છે.
શૈક્ષણિક મનોવૈજ્ઞાાનિકોના નિષ્ણાંતો જણાવે છે કે ક્ષમતા અથવા પ્રતિભા સાથેનો આપણો સંબંધ ચાર સ્તર ઉપર હોય છે.
સૌથી નીચલો સ્તર ેંહર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ૈંહર્ષ્ઠદ્બૅીંીહષ્ઠીનો હોય છે, અર્થાત્ વ્યક્તિને તેની પ્રતિભા અથવા સ્કિલના અસ્તિત્વની જ ખબર હોતી નથી. તે નથી જાણતો કે ‘તે જાણતો નથી’. એક સાધારણ અજ્ઞાાની ગામની વ્યક્તિ સમજી જ નથી શકતી કે મોટા મોટા કાર્યાલયોમાં બેઠેલા બાબુ લોકો શું કરે છે? અને જે કંઈ પણ તેઓ કરે છે તેની માનવીય જીવનને આવશ્યકતા શું છે? અમુક ઘટનામાં એક જ્ઞાાની વ્યક્તિ પણ ેંહર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ની જેમ આ જ પરિસ્થિતિમાં મુકાઈ શકે છે. તેને પોતાના કૌશલ્યનો કોઈ અંદાજો હોય તો પણ તેના મહત્ત્વનો આભાસ નથી હોતો, તે નથી જાણતો કે તેનો સૌ લોકો સાથે સંબંધ શું છે, જે કાર્ય તે કરી રહ્યો છે તેને કરવા માટેની બીજી અસરકારક પદ્ધતિ પણ દુનિયામાં મોજૂદ છે, જેનાથી તે અજાણ છે એ વાતની તેને ખબર જ નથી હોતી. આ નહીં જાણવાનો ‘અજાણતા’નો સૌથી નીચલો સ્તર છે.
બીજો સ્તર ર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ૈંહર્ષ્ઠદ્બૅીંીહષ્ઠીનો હોય છે, અર્થાત્ વ્યક્તિમાં યોગ્યતા નથી અને તે જાણે છે કે ‘તે નથી જાણતો’. તેને તે યોગ્યતાઓના સંદર્ભમાં ખબર હોય છે કે તે તેની અંદર મોજૂદ નથી. હું વિમાન નથી ઉડાવી શકતો, જર્મન ભાષા બોલી શકતો નથી, બીમાર વ્યક્તિની સર્જરી અથવા પાણીની પાઈપલાઈન ફિક્સ નથી કરી શકતો, આ ર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ૈંહર્ષ્ઠદ્બૅીંીહષ્ઠીના સ્તરથી સંબંધિત છે. અર્થાત્ હું તે લાયકાતો વિશે જાણકારી રાખું છું, તેના મામલામાં પોતાની અક્ષમતાને જાણું છું અને જરૃર પડવા પર પોતાની અક્ષમતાને દૂર પણ કરવાનો પ્રયાસ કરી શકું છું.
ત્રીજો સ્તર ર્ઝ્રહજર્ષ્ઠૈેજ ર્ઝ્રદ્બૅીંીહષ્ઠીનો હોય છે. વ્યક્તિ જાણે છે કે ‘હું જાણું છું.’ આ સ્તર પર તેને પોતાની કોઈ પણ લાયકાતનો ઉપયોગ કરવા માટે પહેલાંના જ્ઞાાન અને સભાનતાનો ઉપયોગ કરવો પડે છે. અરબી ભાષા વાંચવી હોય તો તે ભાષાનું વ્યાકરણ યાદ કરવું પડે છે, નવી નવી ડ્રાઇવીંગ શીખ્યા હોય તો બધા જ સ્ટેપ્સ યાદ રાખવા પડે છે કે ક્યારે કયો ગિયર બદલવો પડે છે. ઉર્દૂ ટાઇપ કરતા શીખવું હોય તો આ યાદ કરવું પડે છે કે કઈ કી દબાવવાથી કયો શબ્દ ટાઇપ થાય છે.
ચોથો સ્તર ેંહર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ર્ઝ્રદ્બૅીંીહષ્ઠીનો છે. અર્થાત્ વ્યક્તિ કોઈ પણ જાણકારી અથવા લાયકાતમાં એટલો પરિપૂર્ણ થઇ જાય કે તે તેની ટેવ બની જાય. પછી તેના ઉપયોગ માટે તેને પોતાના દિમાગ ઉપર ભાર આપવાની જરૃરત નહી પડે. ઉર્દૂ અથવા અંગ્રેજીમાં કંઇક લખવાનું હોય તો વ્યાકરણની સમસ્યા નથી હોતી. એવી જ રીતે દુકાનમાં હિસાબ-કિતાબ કરતી વખતે આઠનો ઘડિયો અથવા ગુણાકારના સિદ્ધાંતને યાદ કરવાની જરૃર હોતી નથી. મારો અંતરાત્મા તે સિદ્ધાંતો અનુસાર મારૃં કાર્ય કરી દે છે. એક પરિપૂર્ણ ડ્રાઇવર સ્વયંસ્ટેયરિંગ, ગિયર, કલચ, બ્રેક ઉપર કાર્ય કરતો રહે છે. તેના માટે તેઓને કશું યાદ અથવા વિચાર નથી કરવો પડતો. ઉર્દુ ટાઇપ કરતા સમયે મારી આંગળીઓ દિમાગમાં આવી રહેલા શબ્દો અનુસાર ટાઇપ કરતી જાય છે. આ લાયકાતનો સૌથી ઉચ્ચ સ્તર છે જ્યાં કોઈ પણ કળાનો ઉપયોગ કરવા માટે વિશેષ સભાનતાની જરૃરત હોતી નથી.
આજીવન શીખતા રહેવાની લાયકાતની અછતમાં એક મોટું કારણ એ હોય છે કે નવી લાયકાતોના સંદર્ભમાં આપણે ેંહર્ષ્ઠહજર્ષ્ઠૈેજ ૈંહર્ષ્ઠદ્બૅીંીહષ્ઠીના સ્તરમાં હોઈએ છીએ. આ સ્તરથી ઉપર ઊઠવા પર બીજા સ્તરોને પાર કરવું પણ સરળ હોય છે. એક સમસ્યા આ છે કે આપણા શિક્ષકોને ખબર જ નથી હોતી કે શિક્ષણ-પ્રશિક્ષણની કળા તેઓ દ્વારા કરવામાં આવેલા બી.એડ. અથવા એમ.એડના કોર્સથી ઘણી આગળ વધી ગઈ છે, અને શિક્ષણની દુનિયામાં આશ્ચર્યમાં મૂકી દેનારા કેવા કેવા ક્રાંતિકારી અનુભવો થઇ રહ્યો છે. જો આ અનુભવોનો ઉલ્લેખ તેમની સામે હોય તો તેઓ તેની વિશેષતાઓને નથી સમજી શકતા, તેમના માટે આ નવી ક્ષમતાને પ્રાપ્ત કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ હોય છે. આપણા નેતાઓ પણ નથી સમજી શકયા કે નેતાગીરીનું કાર્ય ઘણી બધી નવી કળાઓની માંગ કરે છે, જે શીખી શકાય છે. આપણા સંશોધકો અને લેખકોને ખ્યાલ જ નથી હોતો કે રિસર્ચ મેથડ અથવા મેથોડોલોજી નામનો પક્ષી પણ દુનિયામાં જોવા મળે છે અને તેમાં રોજબરોજ નવા નવા વલણો સામે આવી રહ્યા છે. જો આ પહેલો સ્તર અર્થાત્ લાયકાતની જાણકારી, જરૃરત અને મહત્ત્વની ખબર હોય તો નિશ્ચિત છે સિત્તેર વર્ષનો માણસ પણ તે લાયકાતમાં ઝડપી રીતે ચોથા સ્તરમાં પહોંચી શકે છે.
તેથી લાઇફ લર્િંનગનો પહેલો તબક્કો આ છે કે પોતાની આંખોને એ કળાઓ અને લાયકાતોને જોવા લાયક બનાવવામાં આવે જે દુનિયામાં જોવામાં આવે છે અને આપણને તેની આવશ્યકતા છે, પરંતુ તે આપણી પાસે નથી આપણા કૂવાની ઊંચી દીવાલો અવરોધ બની જાય છે અને આપણી નજર ત્યાં સુધી નથી પહોંચી શકતી. આ વાતની આવશ્યકતા છે કે આપણે કૂવાની બહાર મોઢું કાઢી અને શિક્ષણ, કળા અને સર્વિસની વિસ્તૃત અને વિશાળ દુનિયામાં જોવાનો પ્રયત્ન કરીએ. આપણને એ વાતનો પણ એહસાસ થાય કે જે આપણે કરી રહ્યા છીએ તેના માટે બીજી ઘણી પ્રભાવી રીતો મોજૂદ છે જેણે આપણને શીખવાની જરૃર છે. આ એહસાસ લાઇફ લોંગ લર્િંનગનો પ્રથમ સ્તર છે.
તમે આ કાર્ય કેવી રીતે કરશો? અને લાઇફ લર્િંનગની બીજી જરૃરિયાતો શું છે? આના ઉપર બીજી વાતો ઇન્શાઅલ્લાહ આગામી અંકમાં…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here